ખંભાળિયામાં શહેર ભાજપ દ્વારા ટિફિન બેઠક યોજાઈ

હોદેદારોએ રેડિયો પર “મન કી બાત” કાર્યક્રમ સાંભળ્યો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા જિલ્લા ભાજપની સૂચના મુજબ શહેર ભાજપના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ. મોરચા દ્વારા નગરપાલિકા ગાર્ડન ખાતે ટિફિન બેઠક અને નરેન્દ્રભાઈ મોદીની મન કી બાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત હોદેદારોએ રેડિયો પર “મન કી બાત” કાર્યક્રમ સાંભળ્યો હતો.

આ સાથે આગામી કાર્યક્રમો અંગે શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્વાગત પ્રવચન અનુ. મોરચા પ્રમુખ લખુભાઈ ચાવડાએ અને આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ જામજોડએ કરી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, અનુ. મોરચાના જિલ્લા પ્રભારી દીપકભાઈ ચાવડા, મહિલા ભાજપના જિલ્લા પ્રમુખ કુંદનબેન આરંભડિયા, શહેર મહિલા પ્રમુખ મિતાબેન લાલ, મહામંત્રી મેઘાબેન વ્યાસ, ઈલાબેન ભટ્ટ, અશોકભાઈ કાનાણી, મુકેશભાઈ કાનાણી, હસુભાઈ ધોળકિયા, હિમાચલ મકવાણા, નિકુંજભાઈ વ્યાસ, નગરપાલિકાના શંકરભાઈ ઠાકર, હરેશભાઇ ભટ્ટ, કિશોરભાઈ નકુમ, ભીખુભા જેઠવા, અરજણભાઈ ગાગીયા, રમેશભાઈ વાઘેલા, સહિતના આગેવાનો- કાર્યકરો સાથે જોડાયા હતા.