સલાયાના રઘુવંશી અગ્રણી દ્વારા ગુરુવારે નાતના જમણવાર અને શ્રીનાથજીની ઝાંખીનું આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના સલાયાના રઘુવંશી અગ્રણી અરવિંદભાઈ પંચમતીયા પરિવાર દ્વારા ગુરુવારે લોહાણા સમાજ સહિતની નાતના જમણવાર અને શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે.

સલાયાના રઘુવંશી અગ્રણી અરવિંદભાઈ વલ્લભદાસ પંચમતીયા પરિવાર દ્વારા સ્વ. ધીરજબેન અરવિંદભાઈ પંચમતીયાના સ્મરણાર્થે સલાયા લોહાણા મહાજન વાડીમાં તારીખ 28 ના ગુરુવારે સાંજે 7. 00 કલાકથી લોહાણા સમાજ, બ્રહ્મ સમાજ, સારસ્વત સમાજ, રાજગોર સમાજ, સાધુ સમાજના સમૂહ ભોજનનું આયોજન કરેલ છે.

વધુમાં, સાંજે 9.00 વાગ્યે શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાણવડના જાણીતા વિશ્વેશ્વર ધુન મંડળ દ્વારા શ્રીનાથજીની ઝાંખી સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવશે. તો આ ધાર્મિક કાર્યક્રમમાં જ્ઞાતિ જનોએ લાભ લેવા પંચમતિયા પરિવારનું આમંત્રણ છે.