ભાટિયા ગામમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો

‘આપ’ના નેતા ઈસુદાન ગઢવી એ પ્રજાના પ્રશ્ન સાંભળ્યા

(રિશી રૂપારેલિયા) દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં આમ આદમી પાર્ટીની જનસંવાદ સભા યોજાઈ હતી.

રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ સભા કાર્યક્રમ 11 મે સુધી ચાલશે. ત્યારે આજ રોજ કલ્યાણપુર તાલુકાના ભાટિયા મુકામે જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ‘આપ’ના અગ્રણી નેતાઓની ખાસ ઉપસ્થિતિમા સભા યોજાઈ હતી. જેમાં ‘આપ’ના નેતા ઈસુદાન ગઢવી એ પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હતા. આમ આદમી પાર્ટીની જનસંવાદ સભામા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.