ખંભાળિયામાં આવતીકાલે ત્રણ કલાકનો વીજકાપ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર નજીકના 11 કે.વી. ગજાનન એચ.ટી. તથા 11 કે.વી. અશોક અર્બન ફીડર વિસ્તાર હેઠળ આવતા દાલમિયા એચ.ટી. જોડાણ, સંજયનગર, માર્કેટિંગ યાર્ડ, જે.કે.વી. નગર, અશોક ઉદ્યોગ નગર, વિગેરે વિસ્તારોમાં આવતીકાલે શુક્રવારે સવારે 8 થી 11 વાગ્યા સુધી હાઈ-વે રોડની કામગીરીમાં નડતરરૂપ વીજ લાઈનની જગ્યાફેર કરવાની કામગીરી થવાની હોવાથી ઉપરોક્ત વિસ્તારોનો વીજ પુરવઠો બંધ રહેવાનું પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.