રામનગરમાં વેદ નવોદય એજ્યુકેશન દ્વારા નવોદય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું સન્માન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના રામનગર ગામમાં વેદ નવોદય એજ્યુકેશન દ્વારા જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ખંભાળિયામાં રામનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા વેદ નવોદય એજ્યુકેશનના ઉપક્રમે તાજેતરમાં નવોદય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વાલીઓ દ્વારા સંસ્થાના ટ્રસ્ટીનું શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો.

જેમાં સંસ્થાના ટ્રસ્ટી પંકજભાઈ ભટ્ટ, ડૉ. નીલેશભાઈ ચાવડા, ભાયાભાઈ વસરા, ગોવિંદભાઈ બોદર, માનસીબેન વરૂ, અશ્વિનભાઈ વ્યાસ, ડૉક્ટર વિજુબેન ચાવડા તેમજ પ્લે હાઉસના ટ્રસ્ટી હેતલબેન ભટ્ટ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.