દ્વારકા જિલ્‍લાના નવોદયની પરીક્ષાના વિદ્યાર્થીઓએ પ્રવેશપત્ર પર આચાર્યના સીકકા કરાવાના રહેશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં ધો- 6માં પ્રવેશ માટેની પસંદગી પરીક્ષા શનિવાર તા. 30 ના રોજ સવારે 11 વાગ્યે યોજાનાર છે. આ માટે પરીક્ષાર્થીઓએ પ્રવેશપત્ર ડાઉનલોડ કરી ધોરણ- 5 માં જે શાળામાં અભ્‍યાસ કરતા હોય તે શાળાના આચાર્યના સીકકા કરાવી લેવા અનિવાર્ય છે. તેમ છતાં જો કોઇ અનિવાર્ય સંજોગોના લીધે આચાર્યના સિકકા થઇ શકયા ન હોય તો તેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્‍દ્ર પરથી બાંહેધરી પત્રક મેળવી જરૂરી વિગતો ભરીને રજુ કરી પરીક્ષા આપી શકશે તેમ કલ્યાણપુરમાં જવાહર નવોદય વિદ્યાલયની યાદીમાં જણાવાયું છે.