ઓખામંડળના વિસ્તારોમાં કાલે શનિવારે વીજકાપ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ઓખામંડળના વિસ્તારોમાં કાલે શનિવારે વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે.

ઓખા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા આરંભડા સબસ્ટેશનમાથી તથા વરવાળા સબસ્ટેશનમાંથી નીકળતા ૧૧ કેવી બેટ જેજીવાય ફિડર, ૧૧ કેવી સૂરજકારડી જેજીવાય, ૧૧ કેવી દ્વારકેશ જેજીવાય ૧૧ કેવી હામુસર જેજીવાય, ૧૧ કેવી ઓખા ટાઉન, અગ્રવાલ એચ.ટી. પાડલી એજી, શામળાસર એજી, ટાટા કેમિકલ ઈએચટી, ૧૧ કેવી ભીમરણા જેજીવાય, પવનચક્કી એજી, ફિડરમાં તા.૩૦-૦૪-૨૦૨૨ના રોજ ૬૬ કેવી આરંભાડા સબસ્ટેશન તથા વરવાળા સબસ્ટેશન મેન્ટેનન્સની કામગીરી હોવાથી સવારે ૭:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે.

વધુમાં, કામગીરી પૂર્ણ થયે અથવા કોઈ કારણોસર કામગીરી રદ કરવાની હશે તો કોઈપણ પ્રકારની જાણ વગર વીજપુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. જેની જાહેર જનતા એ નોંધ લેવા નાયબ ઇજનેર (પી.જી.વી.સી.એલ ઓખા પેટા વિભાગીય કચેરી)ની યાદીમાં જણાવાયું છે.