(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના સક્રિય અને સેવાકીય પ્રવૃતિઓમાં સદાય અગ્રેસર રહેતા ભાર્ગવભાઈ મુકેશચંદ્ર રાવલનો આજે 29 મો જન્મદિવસ છે.
ભાર્ગવ શુકલ ખંભાળિયા પીજીવીસીએલમાં ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે તેઓ હંમેશા સમાજ સેવાના કાર્યો માટે અગ્રેસર રહે છે. કોઈપણ જાતની ખોટી પ્રસિદ્ધિ વગર દર મહિને તેઓ જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને તથા દવા પૂરી પાડે છે. તાજેતરમાં લોક ડાઉન દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે તેમણે નોંધપાત્ર સેવા આપી હતી. સરકારી કર્મચારીઓને રાત્રિના સમયે તેમના દ્વારા ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમના દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે.
આજે પણ ભાર્ગવ શુક્લ દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ગરીબોને ભોજન પુરુ પાડવામાં આવશે. રાજકીય અને સામાજિક રીતે વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા અને ગોપાલ નામથી જાણીતા ભાર્ગવ શુકલને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 97272 87170 ઉપર ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે.