ખંભાળિયામાં આવતીકાલે વિનામૂલ્યે પક્ષીઓના કુંડાનું વિતરણ

જામ ખંભાળિયા : ખંભાળિયાની સેવા સંસ્થા એનિમલ કેર ગ્રુપ દ્વારા આવતીકાલે રવિવારે અત્રે સલાયા રોડ ઉપરના હરસિદ્ધિનગર વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. રવિવારે સાંજે 6 થી 8 દરમ્યાન પક્ષીઓ માટેના આ સેવા કાર્યમાં સહભાગી થઈ, લાભ લેવા એનિમલ કેર ગ્રુપના દેશુરભાઈ ધમા દ્વારા અપીલ કરવામાં આવી છે.