દ્વારકામાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે કાલે મંગળવારે શોભાયાત્રા

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે કાલે મંગળવારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકા સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ભગવાન પરશુરામના જન્મોત્સવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે તા.3/5/2022ને સાંજે 5 વાગ્યે રામધૂન સંકીર્તન મંદિરથી દ્વારકાધીશ મંદિર સુધી શોભાયાત્રા યોજાશે. જેમાં દ્વારકાના સમસ્ત હિન્દુ સમાજે જોડાવવા આયોજકોએ અપીલ કરી છે.