જામ ખંભાળિયા : ઓખામંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા ઈન્દુમતીબેન નરેન્દ્રભાઈ સોમજીભાઈ પંચમતીયા નામના મહિલા સુરજકરાડી વિસ્તારની એક હોટલ પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક જઈ રહેલા જી.જે. 10 એક્સ. 5341 નંબરના ટ્રકના ચાલકે ઈન્દુમતીબેનને અડફેટે લેતાં તેમને ફ્રેકચર સહિતની નાની મોટી ઇજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે કિશોરભાઈ સોમજીભાઈ પંચમતિયાની ફરિયાદ પરથી જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, આરોપી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના લાલુકા ગામે હનુમાન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના લાલુકા ગામે તાજેતરમાં નવનિર્મિત શ્રી હનુમાનજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. રવિવાર તારીખ 1 થી...
ખંભાળિયામાં રેડક્રોસ સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
86 બોટલ રક્ત એકત્ર થયું જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગાયત્રી ગરબા મંડળ તથા રઘુવંશી મહિલા મંડળ અને શિવમ...
ખંભાળિયાની પરણિતાને ત્રાસ આપવા સબબ મોરબીના ત્રણ સાસરીયાઓ સામે ફરિયાદ
જામ ખંભાળિયા : ખંભાળિયામાં કુંભારપાડા વિસ્તારમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીની બાજુમાં રહેતી અને શૈલેષભાઈ નવરંગલાલ સાતા નામના વિપ્ર બ્રાહ્મણની 23 વર્ષીય પરિણીત પુત્રી નિરાલીબેન...