દ્વારકાના શારદાપીઠમાં શંકરાચાર્યજીની જન્મજયંતીની ઉજવણી

દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં આજે સનાતન ધર્મોધારક ભગવત્પાદ આદ્ય શંકરાચાર્યજીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

દ્વારકા સ્થિત શારદાપીઠ, શંકરાચાર્ય મઠમાં ગુરૂગાદી ખાતે ભગવાન આદ્ય શંકરાચાર્યજીનું પાદુકા પૂજન તથા શ્રીદ્વારકાધીશજીના જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજા આરોહણ કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકજનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. બ્રહ્મચારી નારાયણાનંદજીની નિશ્રામાં ધાર્મિક ઉત્સવ ઉજવવામા આવ્યો હતો.