દહાણુ રોડ પાસે ટ્રાફિક બ્લોકના કારણે 9 મેની પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ્દ

જામ ખંભાળિયા : વણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 166 અને 169 પર ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે આગામી તા.8 ના રોજ મેજર ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનોમાં તા. 9 મે ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તથા તા. 8 મેના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની એક યાદીમાં જણાવાયું છે.