જગતમંદિરમાં ભક્ત પરિવારે કાળીયા ઠાકોરને 4.50 કિલો ચાંદી અર્પણ કરી

દ્વારકા : દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં ભક્ત પરિવારે કાળીયા ઠાકોરને 4.50 કિલો ચાંદી અર્પણ કરી છે.

શ્રીદ્વારકાધીશજીના પરમ ભક્ત મુંબઈના રામજીભાઈ હીરાભાઈ ખરગીયા પરિવાર દ્વારા જગતમંદિરમાં 4 કિલો અને 500 ગ્રામ ચાંદીનું અનુદાન આપી કાળીયા ઠાકોર પ્રત્યે પોતાની ભક્તિનો પરિચય આપ્યો છે.