ખંભાળિયાના સલાયામાં રવિવારે નિદાન તથા રક્તદાન કેમ્પનું આયોજન

કોરોના વોરિયર્સને સન્માનિત કરાશે

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે હુસેની ચોક ખાતે આગામી રવિવાર તારીખ 15 મી ના રોજ રક્તદાન કેમ્પ તથા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અહીંના ભીખુભાઈ બી. અસવાર પરિવાર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પમાં અહીંનીની જુદી-જુદી હોસ્પિટલોના તબીબો દર્દીઓને વિનામૂલ્યે સેવા આપશે. આ સાથે કોરોના કાળ દરમ્યાન નોંધપાત્ર સેવાઓ આપનારા ખંભાળિયાની સિવિલ હોસ્પિટલના ડોક્ટર હરીશ મટાણી તથા જામનગરની જી.જી. હોસ્પિટલના ડો. એસ.એસ. ચેટર્જી અને ડો. ગોસ્વામીનું વિશેષ સન્માન કરવામાં આવશે. રવિવારે સવારે સાડા દસથી બપોરે દોઢ વાગ્યા સુધી યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં સહભાગી થવા દર્દીઓ, ગ્રામજનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.