ઈસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ કાલે રવિવારે દ્વારકામાં : ‘આપ’ની ગુજરાત પરિવર્તન યાત્રા યોજાશે

વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર સંદર્ભે આયોજન

દ્વારકા : આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે નેતા ઈસુદાનભાઈ ગઢવી અને ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ આવતીકાલે દેવભૂમિ દ્વારકા ખાતે આવનાર છે. તેમજ દ્વારકા પંથકમાં પરિવર્તન યાત્રા યોજવામાં આવશે.

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાનભાઈ ગઢવી તેમજ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ દ્વારકા આવી રહ્યા છે. આવતીકાલે તારીખ 15ને સવારે 10 વાગ્યે ભગવાન શ્રીદ્વારકાધીશના દર્શન કરીને પરિવર્તન યાત્રાનો શુભ પ્રારંભ કરવામા આવશે. જેમાં પ્રદેશના નેતા ઈશુદાનભાઈ ગઢવી, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ સાથે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ જોડાશે.

આગામી તા. 15ના સવારે 10 વાગ્યે હોમગાર્ડ ચોક ખાતે સભા યોજાશે. ત્યારબાદ 11 વાગ્યેથી હાઇવે રોડ પર રૂપેણ બંદર, વરવાળા, મકનપુર, મોજપ, મીઠાપુર, સુરજકરાડી, ભીમરાણા થઇ બપોરે 2 વાગ્યે મોગલધામ ખાતે ભોજન કરાશે. બપોરે 2 વાગ્યાથી દેવપરા, પાડલી, હમુસર, ગોપી, ગોરિયારી, નાગેશ્વર 3 વાગ્યે, ભોગાત 4 વાગ્યે, લાંબા 5 વાગ્યે, દેવળીયા 6 વાગ્યે, રાવલ 7 વાગ્યે, કલ્યાણપુર 7-30 વાગ્યે અને ભાટીયા 8 વાગ્યે પરિવર્તન યાત્રા પહોંચશે. આ કાર્યક્રમમાં દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના દરેક કાર્યકર્તાઓ જોડાઈ તેવી અપીલ કરવામાં આવી છે.