દ્વારકા : આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે નેતા ઈશુદાનભાઈ ગઢવી આજે દેવભૂમિ દ્વારકા ખાતે આવ્યા છે.
દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શને આપના નેતા ઇસુદાન ગઢવી પહોંચ્યા છે. અને કાળિયા ઠાકોરના દર્શન કરી તેમના ચરણે શીશ નમાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા દ્વારકા ખાતેથી સમગ્ર રાજ્યમાં ગુજરાત પરિવર્તન યાત્રાનો આજથી પ્રારંભ કરાશે.