પતિ રિસામણે જતા વ્યથિત અવસ્થામાં દ્વારકાના યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો

જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામના વાડી વિસ્તારમાં રહેતા અજુભાઈ દેવશીભાઈ લધા નામના 32 વર્ષના યુવાનના ધર્મપત્ની છેલ્લા કેટલાક દિવસોથી તેણીના માવતરે રિસામણે બેઠા હોય, અને તેણી ઘર ચલાવવા માંગતા ન હોવાથી આ બાબત અજુભાઈના મનમાં લાગી આવતા તેણે પોતાના હાથે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના ભાઈ સનાભાઈ દેવશીભાઈ લધાએ મીઠાપુર પોલીસને કરી છે.