ખંભાળીયાના ભાજપ આગેવાને જરૂરિયાતમંદ બાળકોને નાસ્તાનું વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયાના ભાજપ આગેવાને જરૂરિયાતમંદ બાળકોને નાસ્તાનું વિતરણ કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

ખંભાળિયા લોહાણા સમાજના સિનિયર આગેવાન, ખંભાળિયા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી, અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થા સાથે જોડાઈને નિ:સ્વાર્થ ભાવે કામ કરતા અને ભાજપમા ભીષ્મ પિતામહનું બિરૂદ આપી શકાય એવા અશોકભાઈ કાનાણીના જન્મદિવસ નિમિતે ગઈકાલે તા.15.5.2022ના રોજ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર તથા ખંભાળિયા શહેર પૂર્વ મહામંત્રી જીજ્ઞેશભાઈ પરમાર દ્વારા અશોકભાઇ કાનાણીને સાથે રાખી તેમજ પરિશ્રમ ગેસ એજન્સીના સ્ટાફ સાથે શહેરના જુદા જુદા વિસ્તારોના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ હતું. નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરનાર અશોકભાઈ કાનાણીની સામાજિક, આર્થિક, પરિવારીક પ્રગતિ થાય તેમજ તેઓ જીવનના દરેક ક્ષેત્રે પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવ્યું હતું.