જામ ખંભાળિયા : આગામી ખરીફ ઋતુ માટે ખાતરની ખરીદીની સીઝન શરૂ થઈ છે. દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ અલગ કંપની દ્વારા સપ્લાય કરવામાં આવે છે. જિલ્લાના તમામ ખેડુતોને ખરીફ સીઝન માટે પાકની જરૂરીયાત તેમજ કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો જથ્થો કોઇપણ બ્રાન્ડ કે કંપનીનો આગ્રહ ન રાખતા ડીએપી, એસએસપી, એનપીકે (૧૨-૩૨-૧૬) તથા નાઇટ્રો ફોસ્ફેટ (૨૦-૨૦-૦) વિગેરે જેવા ફોસ્ફેટીક ખાતરો અત્યારથી લઈ રાખવા તેમજ ખાતરની ખરીદી સરકાર માન્ય પરવાનેદાર વિક્રેતા પોથી પાકા બિલ તથા પી.ઓ.એસ. મશીન મારફત જ કરવી. અન-અધિકૃત વ્યક્તિ (ફેરીયા) પાસેથી ખાતરની ખરીદી ન કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Trending Article
પોરબંદર : દિપકકુમાર કાંતિલાલ દાસાણીનું અવસાન
પોરબંદર: સ્વ. કાંતિલાલ હરિલાલ દાસાણીના પુત્ર દિપકકુમાર કાંતિલાલ દાસાણી (ઉ.વ. ૬૫) તે અરુણભાઈના નાનાભાઈ તથા કમલેશભાઈ, અશોકભાઈ, સંદીપભાઈ, આશાબેન જયેશકુમાર કોટેચા અને રૂપાબેન અનંતરાય...
ખંભાળિયામાં ભરવાડ સમાજનો સમુહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન: 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા
ભરવાડ સમાજની હોસ્ટેલ માટે 92 લાખનો ફાળો એકત્ર થયો જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાનાના કુવાડીયા ખાતે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ તથા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા...
પતિ રિસામણે જતા વ્યથિત અવસ્થામાં દ્વારકાના યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો
જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામના વાડી વિસ્તારમાં રહેતા અજુભાઈ દેવશીભાઈ લધા નામના 32 વર્ષના યુવાનના ધર્મપત્ની છેલ્લા કેટલાક દિવસોથી તેણીના માવતરે રિસામણે...