કાંકરેજનાં પૂર્વ ધારાસભ્યના પત્નીની પુણ્યતિથિ નિમિતે દ્વારકામાં અન્નકૂટ, ધ્વજારોહણ અને લોકડાયરો યોજાયા

દ્વારકા : દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં વર્ષો પહેલા રાજાધીરાજ શ્રીદ્વારકાધીશ ભગવાનને સોનાનું સિહાસન અર્પણ કરનાર કાંકરેજનાં પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ જેસંગ દેસાઈના ધર્મપત્ની અંબાબેનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે જગતમંદિરમાં વિવિધ મનોરથો બાદ ભવ્ય લોકડાયરો મોડી રાત્રિ સુધી યોજાયો હતો.

દ્વારકાના જગતમંદિરમાં ઘણા વર્ષ પહેલા ભગવાન શ્રીદ્વારકાધીશને સોનાનું સિહાસન અર્પણ કરનાર અને દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં અનેક સેવાકીય કાર્યો અને ધાર્મિક કાર્યો કરનાર અમદાવાદના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ જેસંગભાઈ દેસાઈના ધર્મપત્ની સ્વ. અંબાબેનની ગઈકાલે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જગતમંદિરમાં ભવ્ય અન્નકૂટ મનોરથ અને ધ્વજા આરોહણ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સમગ્ર રાત્રિ દરમ્યાન લોકડાયરો યોજાયો હતો. જેમાં સાંઈરામ દવે, માયાભાઈ આહીર, સંગીતા લાબડિયા, વિક્રમ માલધારી સહિતના અનેક નામી કલાકારોએ દ્વારકાવાસીઓ માટે ધાર્મિક વાતો સાથે ભજનોનો યાદગાર કાર્યક્રમ આપ્યો હતો.