દ્વારકામાં મુકતાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ

દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં મુકતાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

દ્વારકામાં યોજાયેલ મુકતાનંદ બાપુના ૬૪મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર દરમ્યાન મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સનાતન સેવા મંડળ ખાતે યોજાયેલા આ કેમ્પમા ભાજપ શહેર પ્રમુખ વિજય બુજડ, તાલુકા મહામંત્રી ધનાભા જડિયા, શિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઇ ઝાખરીયાએ હાજરી આપેલ હતી. કેમ્પમાં સુબોધનંદ બાપુના હસ્તે દિપ પ્રાગટય કરાયું હતું. સમગ્ર સંચાલન અને જહેમત Skv પ્રિન્સિપાલ ગીરધરભાઇ જોષી અને તેની ટીમ ભાવેશ રબારી, વિષ્ણુ શીલૂ, શોવરાવ મહિડા, વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું.