જામ ખંભાળિયા : ઈન્દુબેન મોહનલાલ બથીયાનું અવસાન

જામ ખંભાળિયા: સ્વ. રાઘવજીભાઈ ઓધવજીભાઈ બથીયાના પુત્રવધુ ઈન્દુબેન મોહનલાલ બથીયા (ઉ.વ. 75) તે સ્વ. જેઠાલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. તુલસીભાઈ તથા વૃજલાલભાઈ અને કાંતાબેન પ્રતાપરાય પોપટના ભાભી તેમજ હિતેશભાઈ, મિતેશભાઈ, હીનાબેન ભરતભાઈ જીવરાજાણી (રાજકોટ) અને જસ્મીનબેન રમેશભાઈ દત્તાણી (જામનગર) તથા મેનાબેન બિંદેશકુમાર નંદાણી (રાજકોટ) ના માતુશ્રી તેમજ ફેનીલ, જશ અને જલકબેન હેમલકુમાર પોપટના દાદીમાં તથા મોરારજી કેશવજી બદિયાણી (જામનગર) ના સુપુત્રી તારીખ 18 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરૂવાર તારીખ 19 ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.