જામ ખંભાળિયા: સ્વ. રાઘવજીભાઈ ઓધવજીભાઈ બથીયાના પુત્રવધુ ઈન્દુબેન મોહનલાલ બથીયા (ઉ.વ. 75) તે સ્વ. જેઠાલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. તુલસીભાઈ તથા વૃજલાલભાઈ અને કાંતાબેન પ્રતાપરાય પોપટના ભાભી તેમજ હિતેશભાઈ, મિતેશભાઈ, હીનાબેન ભરતભાઈ જીવરાજાણી (રાજકોટ) અને જસ્મીનબેન રમેશભાઈ દત્તાણી (જામનગર) તથા મેનાબેન બિંદેશકુમાર નંદાણી (રાજકોટ) ના માતુશ્રી તેમજ ફેનીલ, જશ અને જલકબેન હેમલકુમાર પોપટના દાદીમાં તથા મોરારજી કેશવજી બદિયાણી (જામનગર) ના સુપુત્રી તારીખ 18 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરૂવાર તારીખ 19 ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં સુબોધિનીજી સત્સંગ સત્રનું સુંદર આયોજન સુપેરે સંપન્ન
યમુના સત્સંગ મંડળ આયોજિત કથા શ્રવણનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો જામ ખંભાળિયા : ખંભાળિયાના યમુના સત્સંગ મંડળના નેજા હેઠળ તાજેતરમાં અહીંની સુવિખ્યાત મહાપ્રભુજીની બેઠકના...
ખંભાળિયામાં ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતા વિપ્ર યુવાનની અટકાયત: અન્ય એકની શોધખોળ
જામ ખંભાળિયા : ખંભાળિયાના પાંચ હાટડી ચોક વિસ્તારમાં રહેતા અને એક કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતા કિશન ભાસ્કરભાઈ ભટ્ટ નામના 26 વર્ષીય યુવાનને લાલપુર...
ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ હેઠળ કચડાઇ જતાં મોજપના યુવાનનું કરૂણ મૃત્યુ
જામ ખંભાળિયા : મીઠાપુરથી આશરે 8 કિલોમીટર દૂર મોજપ ગામ પાસેની ગોલાઈમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે જઈ રહેલા જી.જે. 36 એફ. 2038 નંબરના ટ્રેક્ટરના...