કલ્યાણપુર પંથકમાં સગર્ભાની તાકીદે પ્રસ્તુતિ કરાવી, માતા-બાળકને જીવતદાન આપતી 108ની ટીમ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા કલ્યાણપુર પંથકમાં વધુ એક વખત તાકીદની સારવાર આપી, એક સગર્ભા મહિલા તથા બાળકને નવજીવન આપવામાં આવ્યું હતું.

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વાડી વિસ્તારમાં રહેતા લલીતાબેન નામના એક સગર્ભા મહિલાને આજરોજ પ્રસૂતિની પીડા વધી જતા આ અંગે તેમના પરિવારજનો દ્વારા 108 સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આથી હર્ષદ 108 ની ટીમના એ.એમ.ટી. નિકુંજ જાદવ અને પ્રકાશ ભટ્ટ દ્વારા તાકિદે આ વાડી વિસ્તારમાં દોડી જઈ અને સગર્ભા મહિલાની તાકીદની સારવાર બાદ નોર્મલ પ્રસૂતિ કરાવી હતી.

આમ, 108ની તાકીદની સારવાર તથા પ્રસુતિ બાદ માતા અને નવજાત બાળકને કલ્યાણપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.