કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે રાવલ ખાતે રવિવારે ઓકસીજન પ્‍લાન્‍ટનું લોકાર્પણ

જામ ખંભાળિયા : કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ રવિવાર તા. 22 ના રોજ સવારે દસ વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના જામ રાવલ સ્‍થિત સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ટાટા કેમિકલ નિર્મિત ઓકસીજન પ્‍લાન્‍ટના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્‍થિત રહેનાર છે. ત્‍યાર બાદ તેઓ ધ્રોલ જવા રવાના થશે તેમ સરકારી સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.