બાવળની જાળીમાંથી બળી ગયેલો મૃતદેહ મળ્યો
દ્વારકા : દ્વારકા હાઇવે પર બાવળની જાળીમાંથી કચ્છના વૃદ્ધનો બળી ગયેલો મૃતદેહ મળ્યો હતો. જેના પરથી બોથડ પદાર્થ ઝીંકી વૃદ્ધની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
દ્વારકા હાઈવે પર બાવળની જાળી પાસે 70 વર્ષીય વૃદ્ધની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. કચ્છના અંજાર તાલુકાના વીરા ગામના રહેવાસી મેમાભાઈ પાંચાભાઈ ચાવડાની બોથડ પદાર્થ વડે હત્યા કરવામાં આવી છે. મેમાભાઈનો મૃતદેહ હાઈવે નજીક બાવળની જાળીઓમાંથી મળી આવ્યો હતો. મૃતકના શરીરનો અડધો ભાગ પણ બળેલો હોવાનું તેમજ મૃતક અવરનવાર પૂનમ ભરવા દ્વારકા આવતા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે મૃતકના પરિવારને જાણ કરી આગળ તપાસ હાથ ધરી છે.