ખંભાળિયા તાલુકા યુવા ભાજપ મોરચાના હોદેદારની વરણી કરાઈ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના યુવા ભાજપ મોરચાના હોદેદારોની વરણી તાલુકા પ્રમુખ કિશોરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.

જેમાં પ્રમુખ તરીકે માધવપુર ગામના પરેશભાઈ પાલાભાઈ લગારીયા (પી.પી.), મહામંત્રી તરીકે કિરીટસિંહ કેશુભા વાઘેલા અને સાગર ભાનુભાઈ સોનગરા તેમજ ઉપપ્રમુખ તરીકે વજશીભાઈ ચાવડા, ગઢવી દેશુરભાઈ ધમા, વલ્લભભાઈ રણમલભાઈ સિહોરા, કાનાભાઈ ભાયાભાઈ, હરીશભાઈ ચોપડા અને વિક્રમભાઈ ખોલા સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. આ વરણીને સમગ્ર જિલ્લાના આગેવાનો-હોદ્દેદારોએ આવકારી, શુભકામનાઓ પાઠવી છે.